Jan 27, 2011

સતપંથ થી અજાણ્યા લોકોના મનમાં ઉદભવતા સવાલો

દેશ-વિદેશથી મળેલા પ્રતિભાવમાં લોકો સવાલ કરે છે કે આ સતપંથ શું છે ? ઘણાં સવાલો અન્ય વાચકોના મનમાં પણ ઉદભવ્યા હશે. મને વારંવાર પુછાતા સવાલો અહી જણાવું છું. લગભગ દરેકને રીપ્લાય આપ્યા છે પણ અલગ-અલગ રીતે જવાબો આપવા એક કપરું કાર્ય બની રહે છે અને દરેક સવાલનો જવાબ લોકોના માનસમાં એક નવો સવાલ ઉભો કરે છે !



- સામાન્ય રીતે પુછવામાં આવતા સવાલો નીચે મુજબ છે -

૧. બહારથી હિંદુ ધર્મ જેવો અને મુસલમાન જેવા રીવાજો પાળવાવાળો આ ધર્મ કયો છે ?

૨. સતપંથ ધર્મના સ્થાપકનું ધ્યેય શું હતુ ?

૩. ધર્મ પલટો કરાવવા માટેની કેવી વ્યવસ્થા છે ?

૪. આ મુસ્લીમ ધર્મ છે તો તેમાં હિંદુ દેવો, દેવીઓ, હિંદુ રીવાજો કે હિંદુ નામ ધરાવતા પુસ્તકો કેમ છે ?

૫. કેવી રીતે આખા પંથને ઇસ્લામ તરફ પલટાવ્યો ?

૬.  ઇમામુદ્દીન ઉર્ફે પીર ઇમામશાહ કોણ છે ?

૭. સતપંથમાં ટોચ ઉપર પહોંચવાના સ્ટેજ કયા-કયા છે?

૮. વિષ્ણું ભગવાનનો દસમો અવતાર એ સતપંથીઓ માટે વાસ્તવમાં કોણ છે ? શું એ જ હજરત અલી છે ?

૯. સતપંથમાં ત્રીજા સ્ટેજ પર પહોંચનાર વ્યક્તિ મુશલમાન કઇ રીતે બને છે?

૧૦. કેવી રીતે લોહાણાઓ ખોજા બન્યા ? કેમ પાટીદારો મુમના બન્યા ? કેમ સુમરા અને બીજી હિંદુ જાતિઓ મુસ્લિમ બની ?

આપની વ્યથાને સમજીને કેટલાક પુરાવાઓ અહી રજુ કરવા જઇ રહ્યો છું.. જે પીર સદરુદ્દીનના મીશન અન્વયે જણાવવામાં આવ્યા છે, મહેરબાની કરીને તે માટે નવી પોસ્ટ તૈયાર કરું એટલો સમય અપશો.

આપના સહકારની અપેક્ષા સહ..

આવજો.

No comments:

Post a Comment