Jan 25, 2011

પીરાણા-સત્પંથ વિશે ઉદભવેલા સવાલો

ઘણો સમય સતપંથ-પીરાણા પંથની વાસ્તવિકતા જાણવામાં વિતાવ્યો. ઘણાં સવાલો ભેગા થયા છે. જેના વિશે તપાસ કરી રહ્યો છું તે જ પંથના અનુયાયીઓની પાસે તેમના જ સંપ્રદાય અંગેના સવાલો ના જવાબો નથી. હદ તો એટલે સુધી થઇ કે પીરાણાંના સત્તાવાળાઓ પણ વાસ્તવિકતા બહાર આવે એવું નથી ઇચ્છતા. જે જવાબો મળ્યા છે તે પણ અતાર્કિક અને અયોગ્ય કહી શકાય તેવા છે. તેમને મારા દ્વારા પુછાયેલા સવાલો પૈકી કેટલાક સવાલો આપ સૌની જાણ માટે અહિ મુકી રહ્યો છું.

૧. બાબા ઇમામશાહ નું પુરુ નામ ? પીરાણાં-સત્પંથની મુળ સંસ્થાનુ નામ ?

૨. ઇમામશાહ કોણ હતા ? કોઇ પીર હતા ? કોઇ ગાદીપતિ ? કોઇ ધર્મના સ્થાપક ? કોઇ ધર્મના વારસદાર ? કોઇ ધર્મ સુધારક ? કોઇ ધર્મ પરિવર્તનકારી ? ગુપ્તી ? એજન્ટ ?  કે પછી અન્ય કોઇ ?

૩. ઇમામશાહ મુળ કયાંથી આવ્યા હતા ?

૪. સતપંથ ના સ્થાપક અને સ્થાપના સમય ?

૫. સતપંથ અત્યારે ભારત-ગુજરાત સિવાય બીજે કયાંય સંસ્થાન ધરાવે છે ? અને ” હા “તો કયાં-કયાં ?

૬. હિંદુસ્તાન સિવાય બીજા કોઇ દેશ માં સતપંથ પાળતા લોકો જોવા મળે છે ? અને “હા” તો કયાં-ક્યાં ?

૭. સતપંથ કયા વેદ આધારીત છે અને તે વેદ કોણે અને કયા સમયે લખ્યો છે તે જણાવશો.

૮. સતપંથ નો સૌ પ્રથમ ઉલ્લેખ કયાં અને કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

૯. કોઇ હિંદુ શાસ્ત્રો માં સતપંથ નો ઉલ્લેખ જોવા મળે છે ? અને “હા” તો કયાં-ક્યાં ?

૧૦. સતપંથી ઓ મુળ કોણ છે ?

૧૧. દરેક સતપંથી હિંદુ છે ? અને “હા” તો કઇ રીતે ? અને ” ના ” તો બીજા કયા ધર્મ ના લોકો સતપંથી છે ?

૧૨. ઇમામશાહ ભારત શા માટે આવ્યા હતા ?

૧૩. સતપંથ ની સ્થાપના શા માટે કરવામાં આવી હતી ?

૧૪. સતપંથ ની મુળ શરુઆત કયાંથી કરવામાં આવી હતી ?

૧૫. સતપંથ નો સ્થાપના ભુતકાળ ટુંકમાં જણાવશો.

૧૬. કયા હિંદુ શાસ્ત્રો માં મધ-રાત્રી ની પુજા વિધિ બતાવવામાં આવી છે ? અને જો બતાવવામાં આવી હોય
તો તે વિધિ ક્યાં અને કઇ છે ?

૧૭. આખી દુનીયાના બધા ભાગના ઇતિહાસ અને સાહિત્યોમાં સતપંથનો એક સમાન અર્થ(ઇસ્માઇલી-નીઝારી પંથ) કેમ જોવા મળે છે ?

૧૮. સતપંથ માં અલી, અલ્લા, નુર, નમાજ, કુરાન, કયામત, દુઆ, રહેમાન, પરવરદિગાર, શુક્રવાર, ચંદ્ર વગેરે શા માટે દર્શાવવા માં આવ્યા છે ? આ શબ્દો ને હિંદુ ધર્મ કે પુજા સાથે કેટલે સુધી સંબંધ છે ?

૧૯. સતપંથ માં મુખી કે કાકા શા માટે બનાવવામાં આવે છે ?

૨૦. “મુખી” અને “કાકા” પદ હિંદુ ધર્મ ના બીજા કયા-કયા સંપ્રદાય માં જોવા મળે છે ?

૨૧. સતપંથમાં સૌથી પહેલા મુખી કોને બનાવવામાં આવ્યા હતા ? આ મુખી પદ ધારણ કરનાર હિંદુને મુસ્લીમ નામ કેમ આપવામાં આવે છે ?

ઉપર જે સવાલો જણાવ્યા છે તે ઉપરાંત બીજા અનેક સવાલો છે. તેના જવાબો મેળવતા જ સાચી માહિતિ આપમેળે જ મળી જાય છે. મારા હિંદુ ધર્મમાં કેવી ભેળસેળ કરવામાં આવી છે તે પણ સમજાઇ જશે. વાચકો થોડી જાણકારી મેળવી ને મારા વિષયને ન્યાય કરશે તેવી આશા સહ.

આવજો.

No comments:

Post a Comment