Apr 21, 2011

સંત શ્રી વાલદાસ મહારાજની સતપંથ અને પીરાણાં અંગે ચોખવટ





નમસ્તે મિત્રો,

સતપંથ દ્વારા ખોટા પુરાવાઓ અને ખોટી બાબતો રજુ કરીને છેતરવાનુ કામ ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. તેનો એક નમુનો અહી રજુ કર્યો છે.

પુજનીય સંત શ્રી વાલદાસ મહારાજ ને સતપંથ અને તેના અનુયાયીઓ દ્વારા છેતરામણીનો અનુભવ થયો હતો. જે તે સમયે સતપંથના કાકા અને તેના અનુયાયીઓ દ્વારા પ્રચાર કરવામાં આવતો હતો કે સંત શ્રી વાલદાસજી મહારાજ સતપંથને સંપુર્ણ ટેકો આપે છે. તથા સતપંથ અને પીરાણાના કાકા દ્વારા હિન્દુ લોકોમાં ગેરસમજ ફેલાવવામાં આવતી હતી કે સતપંથને હિન્દુ હોવા અંગે પણ સંત શ્રી માન્યતા આપે છે. જો કે આ અંગે ખુલાસો કરવાની જરુર લાગતા સંત શ્રી વાલદાસજી મહારાજ દ્વારા તા-૨-૭-૧૯૮૯, મુંબઇથી જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જેની કોપી અહિં નીચે રજુ કરવામાં આવી છે.

આ નિવેદન માં સંત શ્રી એ જણાવ્યું છે કે તેમણે જાત નીરિક્ષણથી જાણ્યું છે કે પીરાણાંમાં એક મુસલમાન પીરની દરગાહ છે અને તેનો વહિવટ મુસ્લીમ સંસ્થા દ્વારા થાય છે. આ ઉપરાંત તેમણે ખાસ જણાવ્યું છે કે – “પીરાણાં પંથ પછી તે ગમે તે નામ કે લેબાસમાં હોય પણ તે સો એ સો ટકા ઇસ્માઇલી ધર્મ છે અને સનાતન કે વૈદિક કે હિંદુ ધર્મની સાથે કશું લાગતુ વળગતુ નથી.”

વધુ વાંચવા માટે નીચેની લીંક ઉપર કલિક કરો-
સંત શ્રી વાલદાસ મહારાજની સતપંથ અને પીરાણાં અંગે ચોખવટ @ www.ekvyakti.wordpress.com


આભાર.

No comments:

Post a Comment