Sep 15, 2011

પીરાણા સતપંથના ધાર્મિક ગુરૂ એક મુસલમાન


નમસ્તે મિત્રો,

જે પીરાણાં સતપંથ પોતાને જાહેરમાં સંપુર્ણ હિન્દુ વૈદિક આધાર પર ચાલી રહ્યો હોવાનું જણાવે છે તેની વાસ્તવિકતા ખુલ્લી પાડે તેવા ઘણાં પુરાવાઓ અહી પહેલા પણ રજુ કરવામાં આવ્યા છે. આજે અહી એક અન્ય પુરાવા સાથે તાજેતરમાં જ બનેલી એક જાહેર ઘટનાનો ઉલ્લેખ કરવા જઇ રહ્યો છું. આખી ઘટના વાંચી અને નિહાળીને આપ વાચકો જાતે જ નિર્ણય કરી શકો છો કે તેમાં સત્ય શું છે.

હમણા થોડા દિવસ પહેલાંજ, એટલે તા. ૦૧ જુલાઈ ૨૦૧૧ ના પીરાણા સતપંથના ધાર્મિક ગુરૂ/પીર શામ્સુદ્ધીન બાવા ખાકીનો દેહાંત થયો છે. તેમનું ફોટું નીચે પ્રમાણે છે. તેઓ સતપંથ સનાતન વૈદિક ધર્મના ગાદીના ૧૪માં વારસદાર (ગાદીપતિ) હતા.

વધુ વાંચવા માટે નીચેની લીંક ઉપર કલિક કરો-
પીરાણા સતપંથના ધાર્મિક ગુરૂ એક મુસલમાન @ www.ekvyakti.wordpress.com

May 20, 2011

એક નગ્ન વાસ્તવિકતા અને મારા કાર્યનો હેતુ





મિત્રો, મારા આ કાર્યનો હેતુ હું અગાઉ જણાવી ચુકયો છું છતાંયે લોકો આ બધી મહેનત અને માથાકુટ કરવાનો હેતુ પુછી રહ્યા છે. કોઇ મિત્રોને લાગે છે કે હું કોઇ અંગત સ્વાર્થ ખાતર આ બધુ કરી રહ્યો છું તો તેમની માટે પીરાણા – સતપંથના વિરોધનો મુળ હેતુ વિસ્તારથી જણાવું છું.

હું જ્ઞાતિથી કચ્છ કડવા પાટીદાર સમાજનો વ્યક્તિ છું, આજથી લગભગ ૬૦૦ વર્ષ પહેલા અમારા વડીલો આ પંથમા જોડાયા હતા. વડીલોની વાતો અને તેઓના સાચવેલા પુરાવાઓના કારણે હું આ પંથ વિશેની ઘણી વાસ્તવિકતાઓ જાણું છું. ભોળા આસ્થાળુ લોકોને છેતરાતા અટકાવવાની માત્ર એક નૈતિક ફરજરુપે આ મહેનત કરું છું.

જે તે સમયે અભણ અને અંધશ્રધ્ધાળુ લોકોને ઇમામુદ્દીન દ્વારા જાદુઇ ખેલ બતાવીને, ફોસલાવીને કે અગમ્ય ડર બતાવીને પોતાના પંથમાં ભોળવ્યા હોવાની શંકા ઘણી મજબુત છે. ઇમામુદ્દીન ઉર્ફે ઇમામશાહે હિન્દુ ધર્મની સ્થાપના ને નામે લોકોને મુસ્લિમ પંથમાં ભેળવી દીધા છે જેનો ઇતિહાસ સાક્ષી છે. આ પંથ ભુતકાળ માં પીરાણાં પંથ અથવા કાકા પંથ તરીકે પણ ઓળખાતો હતો.

સમય જતાં આ જ પંથ ના કારણે ઉત્તરગુજરાત, અમદાવાદ, અડાલજની આસપાસ રહેતા અમારા પુર્વજોને કચ્છ જેવા સુકા અને પડતર પ્રદેશમાં સ્થળાંતરની ફરજ પડી હતી કેમ કે સ્થાનિક અન્ય પાટીદારો માટે તે સમયના સતપંથી લોકો સંપુર્ણ મુસ્લિમ બની ગયા હતા.. [....]

વધુ વાંચવા માટે નીચેની લીંક ઉપર કલિક કરો-
એક નગ્ન વાસ્તવિકતા અને મારા કાર્યનો હેતુ @ www.ekvyakti.wordpress.com



આભાર.

Apr 21, 2011

સંત શ્રી વાલદાસ મહારાજની સતપંથ અને પીરાણાં અંગે ચોખવટ





નમસ્તે મિત્રો,

સતપંથ દ્વારા ખોટા પુરાવાઓ અને ખોટી બાબતો રજુ કરીને છેતરવાનુ કામ ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. તેનો એક નમુનો અહી રજુ કર્યો છે.

પુજનીય સંત શ્રી વાલદાસ મહારાજ ને સતપંથ અને તેના અનુયાયીઓ દ્વારા છેતરામણીનો અનુભવ થયો હતો. જે તે સમયે સતપંથના કાકા અને તેના અનુયાયીઓ દ્વારા પ્રચાર કરવામાં આવતો હતો કે સંત શ્રી વાલદાસજી મહારાજ સતપંથને સંપુર્ણ ટેકો આપે છે. તથા સતપંથ અને પીરાણાના કાકા દ્વારા હિન્દુ લોકોમાં ગેરસમજ ફેલાવવામાં આવતી હતી કે સતપંથને હિન્દુ હોવા અંગે પણ સંત શ્રી માન્યતા આપે છે. જો કે આ અંગે ખુલાસો કરવાની જરુર લાગતા સંત શ્રી વાલદાસજી મહારાજ દ્વારા તા-૨-૭-૧૯૮૯, મુંબઇથી જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જેની કોપી અહિં નીચે રજુ કરવામાં આવી છે.

આ નિવેદન માં સંત શ્રી એ જણાવ્યું છે કે તેમણે જાત નીરિક્ષણથી જાણ્યું છે કે પીરાણાંમાં એક મુસલમાન પીરની દરગાહ છે અને તેનો વહિવટ મુસ્લીમ સંસ્થા દ્વારા થાય છે. આ ઉપરાંત તેમણે ખાસ જણાવ્યું છે કે – “પીરાણાં પંથ પછી તે ગમે તે નામ કે લેબાસમાં હોય પણ તે સો એ સો ટકા ઇસ્માઇલી ધર્મ છે અને સનાતન કે વૈદિક કે હિંદુ ધર્મની સાથે કશું લાગતુ વળગતુ નથી.”

વધુ વાંચવા માટે નીચેની લીંક ઉપર કલિક કરો-
સંત શ્રી વાલદાસ મહારાજની સતપંથ અને પીરાણાં અંગે ચોખવટ @ www.ekvyakti.wordpress.com


આભાર.

Apr 17, 2011

સતપંથનો પંચમવેદ (ગુરુમુખવાણી) – એક કપોળ/કલ્પિત શાસ્ત્ર


આ પોસ્ટમાં શ્રી અખિલવિશ્વ સતપંથી ધર્મીય સંઘ, કલકતા દ્વારા પ્રકાશિત “પંચમવેદ – ગુરુવાણી ” નામના પુસ્તકના અંશની સ્કેન કોપી મુકવામાં આવી છે. સતપંથીઓના આ શાસ્ત્રમાં અગત્યના મંત્રો, મુકતિનો ભેદ, મહાપુજા વિધિ વગેરે દર્શાવવામાં આવ્યા છે. આ પુસ્તક અને તેના શ્ર્લોકો દરેક સતપંથીઓ માટે ઘણા મહત્વના ગણાય છે. આ પુસ્તકમાં સમાવવામાં આવેલા મંત્રો અને ક્રિયાની રચના સતપંથના સ્થાપક પીર ઇમામુદ્દીન ઉર્ફે ઇમામશાહ દ્વારા કરવામાં આવી હતી. આ પુસ્તકની વિધિ કે શ્ર્લોકો ને હિન્દુ શાસ્ત્રોમાં કયાંય જોવા નહી મળે કેમ કે આ એક માત્ર કલ્પિત શાસ્ત્ર છે જેને વાસ્તવિકતા સાથે કોઇ જ સંબંધ નથી. આ પુસ્તક અને તેના શ્ર્લોકોનો એક જ ઉદ્દેશ છે કે હિન્દુઓને મુર્ખ બનાવી મુસ્લિમ બનાવવા.

વધુ વાંચવા માટે નીચેની લીંક ઉપર કલિક કરો-
સતપંથનો પંચમવેદ (ગુરુમુખવાણી) – એક કપોળ/કલ્પિત શાસ્ત્ર @ www.ekvyakti.wordpress.com





આભાર.

Apr 6, 2011

DNA ન્યુઝ પેપર, અમદાવાદ, તાઃ ૪, માર્ચ-૨૦૧૧ માં સતપંથની હકિકત

મિત્રો,

પીરાણાં-સતપંથની હકિકત વિશેનો DNA ન્યુઝ નો તાઃ ૪, માર્ચ – ૨૦૧૧નો અમદાવાદ આવૃતિમાં છપાયેલો લેખ અહી રજુ કરી રહ્યો છું. આ લેખમાં જણાવ્યું છે કે પીરાણામાં ઇમામશાહની કબર અને મસ્જિદ આવેલી છે. તેમાં એમ પણ જાણકારી આપવામાં આવી છે કે પીરાણાં સતપંથીઓ ઇસ્લામી ધાર્મિક કર્મકાંડો, સાહિત્યો અને રીત રિવાજો પાળે છે

આ લેખ અંગ્રેજીમાં છે પણ તેમાં જણાવેલી માહિતીથી આપને સાચી જાણકારી મળી શકે તેમ છે... [.....]


 
વધુ વાંચવા માટે નીચેની લીંક ઉપર કલિક કરો-
DNA ન્યુઝ પેપર, અમદાવાદ, તાઃ ૪, માર્ચ-૨૦૧૧ માં સતપંથની હકિકત @ www.ekvyakti.wordpress.com



આભાર.

Mar 2, 2011

પીરાણાં-સતપંથની પુજા વિધિ


નમસ્તે,
આજની આ પોસ્ટમાં આપને પીરાણાં-સતપંથ સંપ્રદાયની પુજા વિધિની વાત જણાવવી છે. જો કે મુળ તો પીરાણાંમાં આવેલી દરગાહમાં ઇમામુદ્દીન(ઇમામશાહ)ની કબરની પુજા કરવામાં આવે છે પણ હવે તેમાં સુધારા-વધારા કરીને અને લોકોને ગુમરાહ કરવા તેનું નામ બદલીને “સમાધિ મંદિર” કરી દેવામાં આવ્યું છે. આમ તો જાણીને જ નવાઇ લાગે કે એક મંદિરમા “કબર પુજા” વળી કેવી !!? પણ, એ જ તો સતપંથ-પીરાણાં નામના સંપ્રદાયની વાસ્તવિકતા છે !!!
અહિ પીરાણાની પુજા વિધિના કેટલાક ભાગ સ્કેન કરીને મુકુ છું... [....]

વધુ વાંચવા માટે નીચેની લીંક ઉપર કલિક કરો-


Feb 24, 2011

શરુઆતથી અત્યાર સુધીનો અનુભવ


http://ekvyakti.wordpress.com
http://ekvyakti.wordpress.com
નમસ્તે મિત્રો,
મને અહી આવ્યાને લગભગ બે મહીના પુરા થવા આવ્યા છે. અત્યાર સુધી ઘણાં નાના-મોટા અનુભવો થયા છે, જે આજે આપની સાથે વહેંચવાની ઇચ્છા છે. પહેલા તો મને વાસ્તવિકતાની થોડી જ જાણકારી હતી તથા હિંદુ સમાજમાં પ્રસરી રહેલી વિધર્મીઓની છેતરપીંડીના વિરોધ અંગે ઘણી માનસિક ગડમથલ પણ ચાલી રહી હતી. વિરોધ તો કરવો જ છે પણ કઇ રીતે તે સમજાતુ નહોતું.
એકવાર એક મિત્રએ મને સલાહ આપી કે ઇંટરનેટ તથા બ્લોગ દ્વારા માહિતિને લોકો સાથે વહેંચવી જોઇએ. તેમ જણાવી ને ઇંટરનેટના ઉપયોગની પ્રાથમિક જાણકારી આપી અને બ્લોગ શરુ કરવા માટે ઘણી મદદ પણ કરી. આમ, માત્ર એક નૈતિક ફરજના ભાગ રુપે અને હિંદુ આસ્થાળુઓ ના હિતાર્થે લખવાનું શરું કર્યું હતું. અત્યારે તો તે મિત્રનું નામ અહી લખી શકુ તેમ નથી પરંતુ તેની મદદ બદલ હું તેનો સદાય ઋણી રહીશ. ગુજરાતીમાં લખવાની વધુ ફાવટ ન હોવાથી કદાચ કયાંક વાકય-રચના કે જોડણી મા ભુલ નો અવકાશ રહે છે તેથી આપ વાચક મિત્રો ને વિનંતી કે તે બદલ ક્ષમા કરશો.
આ બ્લોગ શરું કરતાં પહેલા [ ...... ]

વધુ વાંચવા માટે નીચેની લીંક ઉપર કલિક કરો-